-->

આંતરરાષ્ટ્રીય વૃધ્ધ દિવસ

 આંતરરાષ્ટ્રીય વૃધ્ધ દિવસ

1 ઑક્ટોબર

આજે તા. 1 ઑક્ટોબર ના રોજ આંતરરાષ્ટ્રીય વૃધ્ધ દિવસ ( ઇન્ટરનેશનલ સિનિયર સિટીઝન ડે) તરીકે ઉજવવામાં આવે છે.

 30 વર્ષ પહેલાં દુનિયાભરમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ ઉજવાયો હતો.

1991માં આજના દિવસે આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ મનાવવાની શરૂઆત થઇ હતી. દુનિયાભરના વૃદ્ધો પ્રત્યે થતા દુર્વ્યવહાર અને અન્યાયને રોકવા નિર્ણય લેવાયો હતો. જો કે 14 ડિસેમ્બર, 1990ના રોજ આ નિર્ણય લેવાયો હતો. અને 1 ઓક્ટોબર, 1991એ પહેલીવાર આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ મનાવાયો હતો. ઉલ્લેખનીય છે કે1982માં વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા ‘વૃદ્ધાવસ્થાને સુખી બનાવો’ સૂત્ર આપીને ‘સૌ માટે સ્વાસ્થ્ય’ અભિયાન શરૂ કરાયુ હતું. તે બાદ યુનાઇટેડ નેશન્સની વિનંતી પર 1999ને ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ના રૂપમાં ઉજવાયુ હતું.


તેનો હેતુ સંવેદના અને વૃદ્ધોના દુર્વ્યવહાર જેવા વૃદ્ધોને અસર કરી રહેલા બિંદુઓ વિશે સભાનતા વધારવા માટે આ દિવસની નોંધ લેવામાં આવે છે. વૃદ્ધ વ્યક્તિઓ સમાજમાં જે યોગદાન આપે છે તેનો આદર કરવા માટે આ દિવસ ઉજવે છે અને સન્માન આપે છે.


વૃદ્ધ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ 2021 થીમ


"Digital Equity for All Ages"




આજના આ દિવસે કેવી પ્રવૃત્તિઓ કરી શકાય ? 


👉તમારા દાદા દાદી કે પડોશી અથવા આસપાસના દાદા દાદી અથવા વૃદ્ધ વ્યક્તિઓ સાથે સમય પસાર કરો.

👉વૃદ્ધાશ્રમોની મુલાકાત.

👉બાળકો દ્વારા વૃદ્ધોને શુભેચ્છા કાર્ડ પણ આપી શકાય છે.

👉મીડિયા વરિષ્ઠ નાગરિકો સાથે મુલાકાત કરી શકે છે અને સમાજ માટે તેમની સિદ્ધિઓને પ્રકાશિત કરી શકે છે.

👉અખબારો આરોગ્ય, શિક્ષણ અથવા જાહેર સેવાઓના ક્ષેત્રોમાં સમુદાય માટે વૃદ્ધોના ઇન્ટરવ્યુ અને પ્રયત્નો પ્રકાશિત કરી શકે છે.


આજે વિશ્વ વૃદ્ધ દિવસ નિમિતે જાણીએ વડીલોને થતી ત્રણ સામાન્ય તકલીફો વિશે

1. ઑસ્ટિયોપોરોસિસ

વડીલોમાં ઑસ્ટિયોપોરોસિસ સામાન્ય બીમારી છે. ઉંમર વધવાની સાથે હાડકાં નબળાં પડતાં જાય છે. કમરનો દુ:ખાવો, ડોકનો દુ:ખાવો, ઘુંટણનો દુ:ખાવો, બેક પેઇનની સાથે-સાથે શરીરના કોઇપણ ભાગમાં હાડકાઓમાં દુ:ખાવાની શરૂઆત ઑસ્ટિયોપોરોસિસ તરફ ઇશારો કરે છે. જો આ લક્ષણો પર શરૂઆતથી ધ્યાન ન આપવામાં આવે તો ઑસ્ટિયોપોરોસિસની બીમારી થઇ શકે છે.


2. શારીરિક ઇજા

શારીરિક ઇજા વડીલોમાં સૌથી સામાન્ય સમસ્યા છે. ઉંમર હોવાને કારણે વૃદ્ધો પોતાનું શારીરિક સંતુલન સંભાળી શકતા નથી. જેથી, તેમનાં પડી જવાની શકયતાઓ પણ વધી જાય છે. આ શારીરિક ઇજાઓને કારણે ઘણીવાર વડીલોનું મૃત્યુ પણ થઇ શકે છે. એવામાં વૃદ્ધ લોકોએ શારીરિક ઇજાથી સલામત રાખવાં ખૂબ જ જરૂરી છે.


3. કુપોષણનો શિકાર

ઉંમર વધવા પર ડાયેટ ઓછો થવો, હેલ્ધી વસ્તુઓનું પાચન ન થઈ શકવું, જેવા કેટલાય કારણો વૃદ્ધ લોકોને કુપોષણનો શિકાર બનાવી શકે છે. કુપોષણના કારણે ઇમ્યૂન સિસ્ટમ વીક પડવી અને માંસપેશિઓની નબળાઇ સૌથી સામાન્ય સમસ્યા છે. કુપોષણના કારણે ઘડપણમાં સ્વાસ્થય સમસ્યાઓ પણ વધી શકે છે. તેનાથી બચવા માટે ડાયેટમાં ફળ અને શાકભાજીઓની સાથે-સાથે લો ફેટવાળા ખાદ્ય પદાર્થો સામેલ કરવા જોઇએ.


Important link for join with Edu 4 youth


Telagram link :   Click Here

https://t.me/joinchat/P2fUaBOC4IJ-ZmjyWhieLA

What's up link :  Click here

https://chat.whatsapp.com/IqiRvbEEaZtJZ5tKXuRcoN

Facebook link :  Click Here

https://www.facebook.com/groups/1667977763359416/


In this group various circulars issued by the education department and all the information related to teachers are placed as well as all the information related to any news related to education is also shared here.


In this blog, information related to Std. 1 to 12 subjects, all materials and also materials related to various activities are shared.


You can also join us on youtube for which subscribe to our youtube channel




https://www.youtube.com/channel/UCH-IV4E68xNFvEO1qbDWuCA




Related Posts

Post a Comment

Subscribe Our Newsletter